• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • ગુજરાત
  • Rajkot Accident CCTV: રાજકોટમાં સિટી બસે સિગ્નલ પર વાહનોને અડફેટે લીધા, ચારના મોત, લોકોની બસમાં તોડફોડ, પોલીસનો લાઠીચાર્જ

Rajkot Accident CCTV: રાજકોટમાં સિટી બસે સિગ્નલ પર વાહનોને અડફેટે લીધા, ચારના મોત, લોકોની બસમાં તોડફોડ, પોલીસનો લાઠીચાર્જ

02:09 PM April 16, 2025 Gujju News Channel Share on WhatsApp

અકસ્માત અંગે ડીસીપી પૂજા યાદવે જણાવ્યું છેકે, એક સિટી બસે સર્જેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. હજુ સુધી મૃતકોની સંપૂર્ણ વિગત મળી નથી.



Rajkot Indira Circle RMTS Bus Accident : રાજકોટમાં સિટી બસે અકસ્માત કર્યો હોવાના અહેવાલ છે. ઇન્દિરા સર્કલ પાસે સિટી બસે ત્રણથી ચાર જેટલા વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતના આ બનાવમાં ચાર લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 4 લોકોને ઇજા પહોંચી છે. રોષે ભરાયેલા લોકો દ્વારા તોડફોડ પણ કરવામાં આવી છે.


► મૃતકોના નામ


1.રાજકોટ મહાનગરપાલિકાના ઓડીટ શાખાના કર્મચારી રાજુભાઈ મનુભાઈ ગીડા, ઉંમર વર્ષ-35

2.સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી, ઉંમર વર્ષ-40

3.બાલો ઉર્ફે ચિન્મયભાઈ હર્ષદભાઈ ભટ્ટ, ઉંમર વર્ષ-25

4.કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ, ઉંમર વર્ષ-56


► ચાર ઇજાગ્રસ્તોના નામ


1.વિશાલ રાજેશભાઈ મકવાણા, ઉંમર વર્ષ-28

2.સુરજ ધર્મેશ, ઉંમર વર્ષ-42

3.સાનિયાબેન અજયભાઈ રાજબર, ઉંમર વર્ષ-17

4.વિરાજબા મહાવીરસિંહ ખાચર, ઉંમર વર્ષ-07


બનાવના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવી અનુસાર સિગ્નલ ખુલતા વાહન ચાલકો પસાર થઇ રહ્યાં હતા ત્યારે સમયે પૂરપાટ ઝડપે સિટી બસ આવી હતી અને સિગ્નલ પર વાહન ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં ટૂ-વ્હીલર અને કાર સહિતના વાહનો હતા. વાહન ચાલકોને અડફેટે લઇ બસ સિગ્નલ પરથી સીધી પસાર થઇ ગઇ હતી. અકસ્માત અંગે ડીસીપી પૂજા યાદવે જણાવ્યું છેકે, એક સિટી બસે સર્જેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. હજુ સુધી મૃતકોની સંપૂર્ણ વિગત મળી નથી. મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, આજે સવારે રાજકોટ સિટી બસના ચાલકે ઇન્દિરા સર્કલ પાસે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતના આ બનાવમાં ચાર લોકોના મોત નીપજ્યાં હતા. અકસ્માત સ્થળે લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. અકસ્માતના પગલે રોષે ભરાયેલા ટોળા દ્વારા બસમાં તોડફોડ કરવામાં આવી હતી. બસનો ચાલક દારુના નશામાં ધૂત હોવા અંગે પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. લોકો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. એકઠા થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.

અકસ્માતની ઘટના અંગે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દિનેશ જોષીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે જણાવ્યું છેકે, બસ ચાલકે 7 જેટલા લોકોને ટક્કર મારી હતી. સિટી બસ દ્વારા સિગ્નલ તોડવામાં આવે તેના કારણે આવું થાય છે. અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઇ ધ્યાન આપતું નથી.


Follow Us On google News Gujju News Channelfor latest news sarkari job yojana news join our WhatsApp group Gujju News Channeljoin telegram channel for Gujju News Channel | Latest Gujarati News SamacharGujju News Channel | Latest Gujarati News Samachar On TwitterGujju News Channel | Latest Gujarati News Samachar On FacebookGujju News Channel | Latest Gujarati News Samachar On InstagramGujju News Channel | Latest Gujarati News Samachar and Daily Breaking News - Gujarat News, ગુજરાતી સમાચાર, આજના તાજા સમાચાર...

Home Page - Gujju News Channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Rajkot Indira Circle RMTS Bus Accident



▶️રાજકોટમાં ઈન્દિરા સર્કલ પાસે અકસ્માત

▶️સિટી બસચાલકે વાહનોને અડફેટે લેતા 3ના મોત

▶️ઘટનાસ્થળે લોકોનો હોબાળો, લોકોએ બસના કાચ તોડ્યા#rajkotaccident #rajkotcitybus pic.twitter.com/oxMPfcqenA

— AIR News Gujarat (@airnews_abad) April 16, 2025

Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

આજનું રાશિફળ, 31 જુલાઈ 2025 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal

  • 30-07-2025
  • Gujju News Channel
  • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 1 ઓગસ્ટથી 25% ટેરિફ લાદવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ ?
    • 30-07-2025
    • Gujju News Channel
  • ભારતનો સૌથી મોટો ડિજિટલ એરેસ્ટ કેસ ગાંધીનગરમાં બન્યો, 103 દિવસમાં વૃદ્ધ ગાયનેક ડૉક્ટરના રૂ.19.24 કરોડ લૂટી લીધા
    • 29-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 30 જુલાઈ 2025 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 29-07-2025
    • Gujju News Channel
  • 8 કરોડ વર્ષ જુનું પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર, 17 વખત લૂંટાયું, જાણો ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર સોમનાથ વિશે રોચક તથ્યો | Somnath Temple History
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 29 જુલાઈ 2025 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 28-07-2025
    • Gujju News Channel
  • Divya Deshmukh Net Worth : 19 વર્ષની દિવ્યા દેશમુખ બની ચેસની વર્લ્ડ ચેમ્પિયન, કોનેરુ હમ્પીનું સપનું તૂટ્યું; જાણો દિવ્યા દેશમુખની નેટવર્થ કેટલી છે ?
    • 28-07-2025
    • Gujju News Channel
  • Pahalgam Attack Revenge : ૯૭ દિવસ પછી સેનાને મોટી સફળતા, શ્રીનગરમાં અથડામણ: પહેલગામ નરસંહારના માસ્ટરમાઇન્ડનો પણ ખાતમો?
    • 28-07-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 28 જુલાઈ 2025 : જાણો આજનો સોમવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 27-07-2025
    • Gujju News Channel
  • Haridwar : હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ, 6 લોકોના મોત, 35 લોકો ઘાયલ
    • 27-07-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us